પોસ્ટ્સ

નવેમ્બર, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બચકે રહેના બાબા.. ઝીકા વાઇરસનું જોખમ વધી રહ્યું છે.

છબી
ઝીંકા વાઇરસે એશિયામાં પગપેસારો કરી દીધો છે. સિંગાપોરમાં ઝીંકા વાઇરસના કેસો મળી આવ્યા છે, ત્યારે ભારતે મતલબ કે આપણે સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને ઝીંકા વાઇરસના સિંગાપોરમાં જે દર્દીઓ છે, તેમાં 13 દર્દીઓ ભારતીય છે.હવે ભારતે એ સાવચેતી રાખવી પડશે કે કોઇ પણ ઝીંકા વાઇરસનો બોગ બનેલો દર્દી ભારતમાં આવે નહીં. ઝીંકા વાઇરસ કેર વર્તાવી રહ્યો છે. પરંતુ અત્યાર સુધી તે એશિયાથી દૂર રહ્યો હતો. હવે જોખમ નજીક આવી રહ્યું છે. સિંગાપોરમાં 190 લોકોને ઝીંકા વાઇરસે પોતાના સકંજામાં લીધા છે, એમાંથી 13 દર્દીઓ ભારતીય છે. સિંગાપોરમાં વ્યાપારિકોની આવનજાવન બહુ રહે છે, તેને કારણે ત્યાંથી આ વાઇરસનો ચેપ વધી શકે એમ છે. એ સંજોગોમાં તબીબો માને છે કે ભારતમાં ઝીંકાનો વાઇરસનો ચેપ ઝડપથી લાગી શકે છે. વિજ્ઞાનીઓએ મુસાફરી, હવામાન અને મચ્છરોના ફેલાવેનો એશિયા અને આફ્રિકામાં અભ્યાસ કરી એવું તારણ કાઢ્યું છે કે, ભારત, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જ્યાં ગંદકીને કારણે મચ્છરોનો ફેલાવો સામાન્ય છે, ત્યારે દર વર્ષે ડેન્ગ્યુ, ચીકનગુનિયા અને યલો ફિવર જેવા રોગો ફેલાતા રહે છે, એ જોતાં ઝીંકા વાઇરસનો ફેલાવો થવા માટે પૂરતા પરિબળો હાજર ...

એકવાજેનિક અર્ટિકેરીયાઃ વિશ્વમાં ફકત 32 લોકોને પીડતી અનોખી બિમારી

છબી
આપણે બાળપણમાં ભણતા આવ્યા છીએ કે જીવવા માટે હવા,પાણી અને ખોરાકની જરૂર પડે છે. આ ત્રણ વિના જીવન સંભવ નથી. પાણી તો આપણે જાણીએ જ છીએ કે ન મળે તો આપણે કેવા બેબાકળા થઇ જઇએ છીએ. પરંતુ વિશ્વમાં એવા ફક્ત 32 લોકો છે, જેઓ પાણીનું એક ટીપું પણ સહન કરી શકતા નથી !   હા, તેમને 23 કરોડ લોકોમાંથી એકને થતી પાણીની એલર્જી છે. પાણી તો જીવન ગણાય છે, જ્યારે કેટલાક લોકો માટે પાણી એટલે દર્દ ગણાય છે. હા, તમે સાચુ જ વાંચ્યું છે. કેટલાક લોકોને પાણીની પણ એલર્જી છે. આજે તો વિજ્ઞાનીઓ પણ જીવન શોધવા માટે બીજા ગ્રહો ઉપર પાણી છે કે નહીં તેની પહેલી તપાસ કરે છે. જો પાણી હોય તો જ જીવનની શક્યતા છે. એમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી કેમકે આપણા શરીરમાં પણ પાણી ઘણું હોય છે. 70 કિલોગ્રામ વજનવાળી વ્યક્તિના શરીરમાં 40 લીટર પાણી હોય છે. મતલબ કે આપણા શરીર કરતાં અડધું તો પાણી જ હોય છે. જ્યારે આપણા શરીરમાં આટલું પાણી હોય ત્યારે પાણી કેટલું મહત્વનું છે, એ કહેવાની પણ જરૂર રહે ખરી. પરંતુ કેટલાક લોકોને માટે પાણી જાણે પનોતી બની ગઇ હોય છે. આ બિમારી વળગે તો તે પરેશાન કરતી હોય છે. એલર્જી તો કોઇ પણ હોય પરેશાન કરે જ, પરંતુ અહીં તો જી...

પાકિસ્તાનની 14 ચોકીઓનો ખાત્મો ભારતીય જવાનોએ બોલાવી દીધો

છબી
સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન સાથેની સરહદ સળગતી રહી છે. સતત યુધ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાની સૈન્ય ભારત ઉપર મોર્ટારમારો તથા અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યું છે. ભારતે પણ હવે ઇંટ કા જવાબ પથ્થરથી આપવાનું નક્કી કરી નાંખ્યું છે અને ભારતીય જવાનોની જવાંમર્દી જોવા મળી રહી છે. આતંકવાદને પોસતી તથા સરહદ ઉપર સંઘર્ષ પેદા કરતી પાકિસ્તાનની સૈન્ય ચોકીઓને ફૂંકી મારવાનું કામ કર્યું છે. પઠાણકોટ અને એ પછી ઉરી ઉપર આતંકવાદી હુમલો થયા પછી પાકિસ્તાન સખણું રહે એમ લાગતું ન હતું. લાતો કે ભૂત બાતો સે માનતે નહીં, એ વાત સમજાઇ ગયા પછી ભારતીય સૈન્યને લીલી ઝંડી દેખાડી દેવામાં આવી હતી. પૂરતી તૈયારી થઇ ગઇ અને આતંકવાદી છાવણી સિવાય નાગરિકોને હાની ન પહોંચે એ રીતે વ્યૂહ ઘડી દઇને ભારતીય સૈન્યના જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને ચોંકાવી મૂક્યું હતું. કદાચ, પાકિસ્તાને એવા વળતા જવાબની અપેક્ષા રાખી નહીં હોય. પરંતુ વડાપ્રધાન મોદીનો મેજિક છવાઇ ગયો હતો. અઢી વર્ષ સુધી મોદીએ પાકિસ્તાન સાથે મિત્રતા માટે ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ પાડોશીઓને ભારત સાથે મૈત્રી ખપતી ન હતી. એ સંજોગોમાં પાકિસ્તાન જે ભાષામાં જવાબ સમજે એ જ...

મનોહરી શુક્ર , શનિ અને ચંદ્રનો અનોખો સંગમ

છબી
ભાઇ બીજને દિવસે પશ્ચિમ આકાશમાં પાપડપાતળો ચંદ્ર જોવાનો લ્હાવો મળ્યો હતો. એ ખરૂં કે અત્યારે વાતાવરણમાં પ્રદુષણ અને રજકણોનું પ્રમાણ વધુ હોવાને કારણે ચંદ્ર લાલાશપડતો જોવા મળતો હતો. જો કે આજે ત્રીજનો ચંદ્ર બીજના ચંદ્ર કરતાં વધુ મોહક જોવા મળ્યો હતો. વળી ચંદ્રની મહેફિલમાં શુક્ર અને શનિ પણ કુર્દિશ બજાવતા હતા, તેથી દ્રશ્ય વધુ મનોહર બની રહ્યું. ક્સિતિજની ઊંચે પહેલાં ચંદ્ર, તેના માથા પર શનિ અને તેના માથા પર ચંદ્ર જોવા મળતો હતો. એ ખરૂં કે ચંદ્ર અને શુક્રની તેજસ્વિતા સામે શનિ ઝાંખો દેખાતો હતો. પરંતુ આખું દ્રશ્ય એવું જોરદાર હતું કે આંખો તેના પરથી હટાવવાનું મન પણ ન થાય.