પોસ્ટ્સ

2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પરંપરા ચાલુ રહી, ટાઇમ પર્સન ઓફ ધ યર ટ્રમ્પ બન્યા

છબી
લો, વાચકોએ ઓનલાઇન સર્વેમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પર્સન ઓફ ધ યર જાહેર કરી દીધા હતા, પરંતુ જ્યારે ટાઇમના સંપાદકોએ આખરી નિર્ણય કર્યો, ત્યારે અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બાજી મારી ગયા. જમણો હાથ મોં તરફ જ વળે. ગયા રવિવારે જ ટાઇમ મેગેઝીને પર્સન ઓફ ધ યર માટે વાચકોનો ઓનલાઇન સર્વે થયો હતો, તેના આંકડા જાહેર કર્યા હતા. આ સર્વેમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોચ પર હતા. એ પણ પૂરા 18 ટકા મત સાથે, જ્યારે તેમની સાથે સ્પર્ધામાં ગણાતા અમેરિકાના વર્તમાન પ્રમુખ બરાક ઓબામા, ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અસાન્જે હતા. જો કે આ ત્રણે તો મોદી કરતાં રીડર્સ પોલમાં તો અડધે પણ પહોંચ્યા ન હતા. આ ત્રણેને માંડ સાત ટકા મત મળ્યા હતા. હા, એ યાદ રહે કે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ટાઇમ મેગેઝીન રીડર્સ પોલ ભલે કરાવતું હોય, પણ તેના સંપાદકો વાચકોના એ સર્વેને કચરાપેટીમાં નાંખીને પોતાનું ધાર્યું જ કરી જાય છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ પોતાના માનીતાને જ પર્સન ઓફ ધ યરનો તાજ પહેરાવી દે છે. 2011 માં વાચકોએ તો રચેપ તૈય્યપ અર્દોઆનને પર્સન ઓફ ધ યરનો તાજ પહેરાવ્યો હતો, પણ ટાઇમના સંપાદકોએ એ તાજ વિશ્...

સામાજિક ઉત્થાનમાં અમ્મા એક બ્રાન્ડ નેઇમ બની ગયા

છબી
જયલલિતાનું 68 વર્ષે કાર્ડિયાક એરેસ્ટ બાદ નિધન થયું અને તામિલનાડુમાં આધાતની ક્ષણ આવી ગઇ. આપણે નજીકના સબંધીના મૃત્યુ પર પણ આસું સારી શકતા નથી, ત્યાં તામિલનાડુમાં એક રાજકારણી હોવા છતાં, કોઇ જ નાતો ન હોય એવી આમજનતા હૈયાફાટ રૂદન કરતી હતી, તેનું કારણ શું ? જયલલિતાએ શરૂ કરેલી અમ્મા બ્રાન્ડ. જયલલિતા મુખ્યમંત્રી બન્યા, ત્યારે ગત ટર્મમાં તેમણે ગરીબોને સહાયભૂત થાય એવી સરકારી યોજનાઓ શરૂ કરી હતી. ઓફકોર્સ તેઓ પણ એક રાજનેતા હતા, તેથી તેમની નજર મત ઉપર હોય એ સમજી શકાય એમ છે. છતાં તેમણે ગરીબ પ્રજાના મત લઇને પણ તેમનું જીવન આસાન રહે એ માટે તમામ યોજનાઓ બનાવી, તેનો ચુસ્ત અમલ પણ કરાવ્યો. ચૂંટણી વખતે મફત લેપટોપ કે બીજી સામગ્રી આપવાનો રિવાજ તામિલનાડુમાંથી જ આવ્યો છે. સાડી આપવી કે એવા અન્ય લોભામણા ઇનામ આપવાની જાહેરાત થતી રહી છે. ચૂંટણીમાં મત મળી જાય એટલે એ ગીફ્ટનું કામ પૂરૂં થઇ ગયું સમજો. પરંતુ તામિલનાડુમાં જયલલિતા સાચા અર્થમાં અમ્મા બની રહ્યા હતા. શરૂઆત તેમણે અમ્મા કેન્ટીનથી કરી હતી. યાદ હોય તો મહારાષ્ટ્રમાં શિવસેનાએ ઝુણકા ભાખર સસ્તા દરે મૂકીને લોકોની ભૂખ મીટાવવાનો પ્રયાસ કર્યો હતો, એ જ તર્જ ઉપર અ...

ગુજરાતમાં બ્લડ ટ્રાન્ઝફ્યુઝનથી એચઆઇવીનો ભોગ બનલેા દર્દીની સંખ્યા દેશમાં સૌથી વધુ

છબી
આજે એઇડસ દિવસની ઉજવણી વિશ્વ આખું કરી રહ્યું છે. જો કે આપણે ગુજ્જુઓએ વધુ ચેતવાની જરૂર છે કેમકે દેશમાં બ્લડ ટ્રાન્ઝફ્યુઝનથી એઇડસનો સૌથી વધુ ફેલાવો ગુજરાતમાં થાય છે. મતલબ કે અજાણ્યાનું લોહી લેતાં પહેલાં સો વખત નહીં લાખ્ખો વખત વિચાર કરવો પડશે. એઇડસ એ એવી બિમારી છે, જેમાં તમારી રોગ પ્રતિકાર શક્તિ નાશ પામે છે અને તેને કારણે તમે રીબાઇ રીબાઇને મૃત્યુ પામો છો. હજુ એઇડસની દવા શોધાઇ નથી. હા, તમારી જીવન દોરી લંબાવતી દવા ઉપલબ્ધ છે. તેને કારણે તમારૂં જીવન લાંબુ થઇ શક્યું છે, પણ તેથી કાંઇ તમે એઇડસ મુક્ત થઇ શકતા નથી. એઇડસ જાતિય સબંધથી ફેલાતો રોગ છે. જાતિય સબંધમાં સ્વચ્છંદતા ભારી પડી શકે છે. પરંતુ કરમની કઠણાઇ એ છે કે ઘણીક વખત અસુરક્ષિત શારીરિક સબંધ ન બાંધ્યા હોય તો પણ એ રોગ ભરખી જતો હોય છે, તેનું કારણ એ છે કે એઇડસનો રોગીનું લોહી કે લાળ પણ તેનો ચેપ આપી શકે એમ છે. આ સંજોગોમાં કોઇ દર્દીને અજાણતામાં એઇડસના રોગીનું લોહી આપવામાં આવે તો નવાણિયો કૂટાઇ જતો હોય એમ પેલો દર્દી સારવાર કોઇ બીજા રોગની લેતો હોય, તેમાંથી સાજો થઇ જાય, પણ તેની સાથે એઇડસનો ચેપ લાગી જતો હોય છે. ગુજરાતમાં આ પ્રકારે એઇડસનો ફેલાવો...

બચકે રહેના બાબા.. ઝીકા વાઇરસનું જોખમ વધી રહ્યું છે.

છબી
ઝીંકા વાઇરસે એશિયામાં પગપેસારો કરી દીધો છે. સિંગાપોરમાં ઝીંકા વાઇરસના કેસો મળી આવ્યા છે, ત્યારે ભારતે મતલબ કે આપણે સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને ઝીંકા વાઇરસના સિંગાપોરમાં જે દર્દીઓ છે, તેમાં 13 દર્દીઓ ભારતીય છે.હવે ભારતે એ સાવચેતી રાખવી પડશે કે કોઇ પણ ઝીંકા વાઇરસનો બોગ બનેલો દર્દી ભારતમાં આવે નહીં. ઝીંકા વાઇરસ કેર વર્તાવી રહ્યો છે. પરંતુ અત્યાર સુધી તે એશિયાથી દૂર રહ્યો હતો. હવે જોખમ નજીક આવી રહ્યું છે. સિંગાપોરમાં 190 લોકોને ઝીંકા વાઇરસે પોતાના સકંજામાં લીધા છે, એમાંથી 13 દર્દીઓ ભારતીય છે. સિંગાપોરમાં વ્યાપારિકોની આવનજાવન બહુ રહે છે, તેને કારણે ત્યાંથી આ વાઇરસનો ચેપ વધી શકે એમ છે. એ સંજોગોમાં તબીબો માને છે કે ભારતમાં ઝીંકાનો વાઇરસનો ચેપ ઝડપથી લાગી શકે છે. વિજ્ઞાનીઓએ મુસાફરી, હવામાન અને મચ્છરોના ફેલાવેનો એશિયા અને આફ્રિકામાં અભ્યાસ કરી એવું તારણ કાઢ્યું છે કે, ભારત, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જ્યાં ગંદકીને કારણે મચ્છરોનો ફેલાવો સામાન્ય છે, ત્યારે દર વર્ષે ડેન્ગ્યુ, ચીકનગુનિયા અને યલો ફિવર જેવા રોગો ફેલાતા રહે છે, એ જોતાં ઝીંકા વાઇરસનો ફેલાવો થવા માટે પૂરતા પરિબળો હાજર ...

એકવાજેનિક અર્ટિકેરીયાઃ વિશ્વમાં ફકત 32 લોકોને પીડતી અનોખી બિમારી

છબી
આપણે બાળપણમાં ભણતા આવ્યા છીએ કે જીવવા માટે હવા,પાણી અને ખોરાકની જરૂર પડે છે. આ ત્રણ વિના જીવન સંભવ નથી. પાણી તો આપણે જાણીએ જ છીએ કે ન મળે તો આપણે કેવા બેબાકળા થઇ જઇએ છીએ. પરંતુ વિશ્વમાં એવા ફક્ત 32 લોકો છે, જેઓ પાણીનું એક ટીપું પણ સહન કરી શકતા નથી !   હા, તેમને 23 કરોડ લોકોમાંથી એકને થતી પાણીની એલર્જી છે. પાણી તો જીવન ગણાય છે, જ્યારે કેટલાક લોકો માટે પાણી એટલે દર્દ ગણાય છે. હા, તમે સાચુ જ વાંચ્યું છે. કેટલાક લોકોને પાણીની પણ એલર્જી છે. આજે તો વિજ્ઞાનીઓ પણ જીવન શોધવા માટે બીજા ગ્રહો ઉપર પાણી છે કે નહીં તેની પહેલી તપાસ કરે છે. જો પાણી હોય તો જ જીવનની શક્યતા છે. એમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી કેમકે આપણા શરીરમાં પણ પાણી ઘણું હોય છે. 70 કિલોગ્રામ વજનવાળી વ્યક્તિના શરીરમાં 40 લીટર પાણી હોય છે. મતલબ કે આપણા શરીર કરતાં અડધું તો પાણી જ હોય છે. જ્યારે આપણા શરીરમાં આટલું પાણી હોય ત્યારે પાણી કેટલું મહત્વનું છે, એ કહેવાની પણ જરૂર રહે ખરી. પરંતુ કેટલાક લોકોને માટે પાણી જાણે પનોતી બની ગઇ હોય છે. આ બિમારી વળગે તો તે પરેશાન કરતી હોય છે. એલર્જી તો કોઇ પણ હોય પરેશાન કરે જ, પરંતુ અહીં તો જી...

પાકિસ્તાનની 14 ચોકીઓનો ખાત્મો ભારતીય જવાનોએ બોલાવી દીધો

છબી
સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન સાથેની સરહદ સળગતી રહી છે. સતત યુધ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાની સૈન્ય ભારત ઉપર મોર્ટારમારો તથા અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યું છે. ભારતે પણ હવે ઇંટ કા જવાબ પથ્થરથી આપવાનું નક્કી કરી નાંખ્યું છે અને ભારતીય જવાનોની જવાંમર્દી જોવા મળી રહી છે. આતંકવાદને પોસતી તથા સરહદ ઉપર સંઘર્ષ પેદા કરતી પાકિસ્તાનની સૈન્ય ચોકીઓને ફૂંકી મારવાનું કામ કર્યું છે. પઠાણકોટ અને એ પછી ઉરી ઉપર આતંકવાદી હુમલો થયા પછી પાકિસ્તાન સખણું રહે એમ લાગતું ન હતું. લાતો કે ભૂત બાતો સે માનતે નહીં, એ વાત સમજાઇ ગયા પછી ભારતીય સૈન્યને લીલી ઝંડી દેખાડી દેવામાં આવી હતી. પૂરતી તૈયારી થઇ ગઇ અને આતંકવાદી છાવણી સિવાય નાગરિકોને હાની ન પહોંચે એ રીતે વ્યૂહ ઘડી દઇને ભારતીય સૈન્યના જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને ચોંકાવી મૂક્યું હતું. કદાચ, પાકિસ્તાને એવા વળતા જવાબની અપેક્ષા રાખી નહીં હોય. પરંતુ વડાપ્રધાન મોદીનો મેજિક છવાઇ ગયો હતો. અઢી વર્ષ સુધી મોદીએ પાકિસ્તાન સાથે મિત્રતા માટે ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ પાડોશીઓને ભારત સાથે મૈત્રી ખપતી ન હતી. એ સંજોગોમાં પાકિસ્તાન જે ભાષામાં જવાબ સમજે એ જ...

મનોહરી શુક્ર , શનિ અને ચંદ્રનો અનોખો સંગમ

છબી
ભાઇ બીજને દિવસે પશ્ચિમ આકાશમાં પાપડપાતળો ચંદ્ર જોવાનો લ્હાવો મળ્યો હતો. એ ખરૂં કે અત્યારે વાતાવરણમાં પ્રદુષણ અને રજકણોનું પ્રમાણ વધુ હોવાને કારણે ચંદ્ર લાલાશપડતો જોવા મળતો હતો. જો કે આજે ત્રીજનો ચંદ્ર બીજના ચંદ્ર કરતાં વધુ મોહક જોવા મળ્યો હતો. વળી ચંદ્રની મહેફિલમાં શુક્ર અને શનિ પણ કુર્દિશ બજાવતા હતા, તેથી દ્રશ્ય વધુ મનોહર બની રહ્યું. ક્સિતિજની ઊંચે પહેલાં ચંદ્ર, તેના માથા પર શનિ અને તેના માથા પર ચંદ્ર જોવા મળતો હતો. એ ખરૂં કે ચંદ્ર અને શુક્રની તેજસ્વિતા સામે શનિ ઝાંખો દેખાતો હતો. પરંતુ આખું દ્રશ્ય એવું જોરદાર હતું કે આંખો તેના પરથી હટાવવાનું મન પણ ન થાય.

પાકિસ્તાન ઉપર ભારતનું હલ્લાબોલ, એશિયન હોકી ચેમ્પિયનશીપ પર કબ્જો

છબી
photo courtesy zeenews ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન સતત સરહદ સળગાવી રહ્યું છે, પણ ત્યાં જ ભારતે રમતની દુનિયામાં પણ પાકિસ્તાનને મ્હાત કરીને દેશવાસીઓને દીવાળીની ભેટ આપી છે. એશિયન હોકી ચેમ્પિયનશીપમાં પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને હરાવીને ભારતે પોતાની શક્તિ પુરવાર કરી દીધી છે. ભારત અને પાકિસ્તાનના સબંધમાં કટુતા આવી ગઇ છે. વારંવાર આતંકવાદી હુમલા પાછળ હાથ રાખીને પાકિસ્તાન ભારતને કનડતું આવ્યું છે. આમ છતાં મોદીએ વડાપ્રધાન બન્યા પછી પાકિસ્તાન સાથે સબંધ સુધારવા માટેના બે વખત પ્રયાસ કર્યા હતા. એક તો શપથવિધિ સમારોહમાં નવાઝ શરીફને આમંત્રણ આપીને મોદીએ મિત્રતાનો હાથ લંબાવ્યો હતો, તો નવાઝ શરીફના જન્મદિને કાબુલથી સીધા ઇસ્લામાબાદમાં રોકાણ કરીને શરીફને જન્મદિનની શુભેચ્છા આપીને મોદીએ ચીલો ચાતર્યો હતો, તેની પાછળની મંછા એક જ હતી કે પાકિસ્તાન આતંકવાદથી અલગ થઇને ભારતને આતંકવાદથી મુક્ત કરીને મિત્રતા નીભાવે. પરંતુ એમ થઇ શકયું નહીં. આ વર્ષના પ્રારંભે જ પઠાણકોટ ઉપરના આતંકવાદી હુમલા બાદ બે મહિના પહેલાં ઉરી ઉપર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલા પછી ભારતીયોની સહનશક્તિનો અંત આવી ગયો હતો. ભારત પાકિ...

વિશ્વના 90 ટકાથી વધુ લોકોને હવા પણ ચોખ્ખી મળતી નથી !

છબી
જીવન માટે હવા, પાણી અને ખોરાકની જરૂર રહે છે. હવે પાણીનો વેપલો શરૂ થઇ ગયો છે, ત્યારે હવા જ મફતમાં મળે છે. પરંતુ હવા પણ ચોખ્ખી મળતી નથી, ત્યારે કેમ જીવવું એ પ્રશ્ન થઇ ન પડે. આ હેવાલ કોઇ ઐરાગૈરાનો નથી. વિશ્વ આરોગ્ય સંગઠન હુએ હેવાલ આપ્યો છે કે વિશ્વના 90 ટકાથી વધુ લોકોને ચોખ્ખી હવા પણ મળતી નથી ! માનવીએ પ્રદુષણ ફેલાવીને હવા અને પાણીને બગાડી મૂકી છે. જમીનનું પ્રદુષણ પણ માઝા મૂકી રહ્યું છે. હવાનું પ્રદુષણ માનવીના જીવનને દોઝખ બનાવી દેશે, એ વાત કેમ કોઇને સમજાતી નથી. હુએ તેના હેવાલના તારણમાં કહ્યું છે કે આજે દસમાંથી નવ જણા સૌથી ખરાબ હવા શ્વાસમાં લે છે. એ તો ઠીક દર વર્ષે પ્રદુષણ વિશ્વમાં 60 લાખ લોકોના મોતનું કારણ બને છે. આપણે માનીએ છીએ કે શહેરોમાં વાહનો અને ઉદ્યોગોને કારણે હવા વધુ પ્રદુષિત બની છે. ગામડામાં હવા સારી હોવાનું આપણે માનતા રહ્યા છીએ. પરંતુ આ હેવાલ આપણી એ માન્યતાને ખોટી ઠેરવે છે. આ હેવાલમાં જણાવ્યા પ્રમાણે તો કેટલાય ગામડાની હવા તો આપણે માનીએ એના કરતાં વધુ ખરાબ છે. હુએ તેનો હેવાલ કાંઇ ટેબલ પર બેઠા બેઠાં તૈયાર કરી નાંખ્યો નથી. વિશ્વભરના 3000 જેટલા સ્થળોની હવા તપાસીને, ચકાસીને આ હ...

ભારતીય જવાનોની શૌર્યગાથાની 9 / 11 આપણને યાદ નથી રહેતી

છબી
આજે 11 સપ્ટેમ્બર... આજે આપણે નાઇન ઇલેવનને યાદ કરી લઇએ છીએ. યસ્સ નાઇન ઇલેવન એટલે અમેરિકાના world ટ્રેડ સેન્ટર ઉપર થયેલા આતંકવાદી હુમલાની વરસીની અહીં વાત કરવી નથી. આપણા નરબંકાઓએ આજે જ ચીનના સિક્કિમ સેકટર ઉપર થયેલા હુમલાનો વળતો જવાબ આપીને ચીનાઓના દાંત ખાટા કરી નાંખ્યા હતા. સગતસિંહે નાથુ લા ખાલું કરવાનો નન્નો ભણી દઇને ચીનના સૈન્યનો જે શૌર્યથી જવાબ આપ્યો હતો કે આજે પણ નાથુ લા અને ચો લા આપણા કબ્જામાં છે. એ શૌર્યગાથાની નાઇન ઇલેવન આપણને યાદ રહેતી નથી, એ પણ કરૂણતા જ કહેવાય ને ? ચીન ઉપરના એ વિજયને આજે પચાસ વર્ષ પૂરા થાય છે, ત્યારે નરબંકાઓને યાદ કરવાનું આપણને કેમ સુઝતું નથી ? બરાબર પચાસ વર્ષ પહેલાં ભારતીય જવાનોએ ચીનના લાલ લશ્કરને ઊભી પૂંછડીએ ભગાડ્યું હતું, એમ કહીએ તો કદાચ આજે સૈાને નવાઇ લાગે. 1962માં ચીન સામે ભારતના પરાજય પછી પાંચ જ વર્ષમાં ચીનને આપણા નરબંકાઓ હરાવી જાય એ નવાઇ લાગે એવી તો વાત છે જ. હા, નાથુ લા અને ચો લા, એમ સિક્કિમની સરહદે આવેલા બે ઘાટ ઉપર ભારતીય સૈનિકોએ ચીનને ઠમકોરી નાંખ્યું હતું. પાંચ વર્ષ પહેલાંના ચીનના વિજયના નશાને ઉતારી નાંખ્યો હતો. પરંતુ કમનસીબે આપણે ચીન સામેના 196ના...

દિવ્યાંગ મરીયપ્પને ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો

છબી
મરીયપ્પન.. જી હાં મયપ્પન નહીં. મયપ્પન તો આઇપીએલનો મોટ્ટો ખેલાડી હતો, તેની વાત અહીં નથી. અહીં તો મરીયપ્પનની વાત કરવી છે. મરીયપ્પન એટલે મરીયપ્પન થંગાવેલુ. એક પગ ગુમાવવા છતાં રીયો ખાતે હાલમાં ચાલી રહેલી પેરાલિમ્પિકમાં ઊંચા કૂદકાની સ્પર્ધામાં દેશ માટે સુવર્ણ ચંદ્રક જીતી લાવ્યો છે. રીયો ખાતે હાલમાં જ સમર ઓલિમ્પિક પૂરી થઇ છે. ભારતે ઓલિમ્પિકના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૈાથી વધુ ખેલાડીઓ મોકલ્યા હતા. પરંતુ આ ખેલાડીઓમાં બે મહિલા ખેલાડીઓ – પી.વી.સંધુ અને સાક્ષી મલિક સિવાયના તમામ ખેલાડીઓ ખાલી હાથે પાછા ફર્યા છે. હવે એ જ રીયોમાં દિવ્યાંગો માટેનો ઓલિમ્પિક શરૂ થયો છે. પેરાલિમ્પિકના બીજા જ દિવસે ભારતના મરીયપ્પન થંગાવેલુએ ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે. મરીયપ્પનની વાત પણ અનેરી છે. અત્યારે 21 વર્ષનો મરીયપ્પન જ્યારે માંડ પાંચ વર્ષનો હતો. એ વખતે બીજા બાળકોની જેમ એ પણ ઘરની બહાર રસ્તા ઉપર રમતો હતો.  એ વખતે એક સરકારી બસે તેને અડફટે લીધો અને તેમાં તેણે પગ ગુમાવવો પડયો. સરકારી બસ હોવા છતાં મરીયપ્પનને હજુ સુધી કોઇ જ વળતર મળ્યું નથી. વળતર માટેનો કેસ છેલ્લા દોઢ દાયકાથી વધુ સમય માટે ચાલી રહ્યો છે. આમ...

સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન સાથેના જીએસએલવીનું સફળ પ્રસ્થાન

છબી
આખરે, જીએસએલવી ઇસરો કોમ્યુનીટીમાં નોટીબોય એટલે કે તોફાની બારકસ તરીકે જાણિતું હતું, પણ હવે સફળતાની હેટ્રીક સાથે જીએસએલવી ઇસરોના ભરોસાપાત્ર વાહનોમાં સ્થાન મેળવી લેશે. 8મી સપ્ટેમ્બર 2016ના રોજ 20 મિનિટના વિલંબ બાદ હાથ ધરાયેલા પ્રસ્થાને સફળતાપૂર્વક ઇન્સ્ટેટ – 3ડીઆર ઉપગ્રહને અવકાશમાં તરતો મૂક્યો હતો. એ સાથે જ ઇસરોએ ક્રાયોજિનક એન્જિનની સફળતાપૂર્વક ટેકનોલોજી વિકસાવી લીધી હતી. આજે ટીવી પરથી સફળતાપૂર્વક આ લોન્ચને જોતાં જોતાં મને શ્રીહિરકોટાનો પ્રવાસ યાદ આવી ગયો. 2013ની 5મી નવેમ્બરે માર્સ ઓર્બિટરને અવકાશમાં રવાના કરવાનું હતું. એ લોન્ચ માટે મને શ્રીહરિકોટા અવકાશ મથકે હાજર રહેવાનું આમંત્રણ મળ્યું હતું. નવા વર્ષની સવારે રવાના થયો અને એ સાંજે બેંગ્લુરૂ ખાતેના અંતરિકસ ભવન ખાતે પહોંચવાનું થયું હતું. હા, ભાષાની મોટી મુશ્કેલી હતી. પરંતુ મારી સાથે મુંબઇથી એક આધેડ દંપતિ આવ્યું હતું. તેઓએ મને અડધા માર્ગ સુધી લીફટ આપી અને એ પછી વાસન હોસ્પિટલની બાજુમાં આવેલા ભવનને શોધવામાં થોડી તકલીફ પડી હતી. આખરે, ત્યાં જઇને શ્રીહરિકોટા જવા માટે જરૂરી કાર્યવાહી પૂરી કરી અને એ રાત્રીનું રોકાણ બેંગ્લુરુની એક હોટલમા...

તબીબો પણ મમ્મીની શક્તિ સમક્ષ ઝુકી ગયા

છબી
photo courtesy pinterest.com તમારા ગર્ભમાં જે સંતાન ઉછરી રહ્યું છે, તેને એકટોપિયા કોર્ડિસનો રોગ થયો છે. એટલે ? એટલે કે દસ લાખ બાળકોમાં આઠ બાળકોને જે રોગ થાય છે, એવો રોગ તમારા બાળકને લાગુ પડયો છે. આ રોગમાં બાળકનું હ્રદય શરીરમાં પાંસળી હેઠળ વિકસવાને બદલે બહાર વિકસે છે. તો ? એટલે જો બાળક બચી જાય તો પણ તે ભાગ્યે જ બોલી કે ચાલી શકશે એટલે એક જ સારો માર્ગ છે કે ગર્ભપાત કરાવી નાંખો.                             ૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤     તબીબ પહેલી વખત માતા બનનારી યુવતીને કહી દે તો તેના શમણાં તૂટી જ પડે. હા, આજના સોનોગ્રાફીના જમાનામાં તબીબો ગર્ભમાં રહેલા બાળકનાં અંગો અંગે પૂરતી જાણકારી મેળવી શકે છે, ત્યારે કોઇ ખાસ બિમારી બાળકને વળગી હોય તો સ્હેજે માતા- પિતાને એમ થાય કે બાળક જન્મીને અપંગ બની બિચારૂં બની રહે એના કરતાં ન જન્મે તો સારૂં અને ઘણાં દંપતી ગર્ભપાતનો નિર્ણય લઇ પણ લેતા હોય છે. પરંતુ 30 વર્ષની અમેરિકાના ઓહિયોની વેહમેનને તબીબન...

જે સમાજમાં શિક્ષકોને મજુરો કરતાં ઓછો રોજ ( દૈનિક મહેનતાણું ) મળતો હોય એ સમાજ દયનીય

છબી
આજે શિક્ષક દિવસ ઉજવાઇ રહ્યો છે. એક સમયે ચાણક્યે કહેલું કે, શિક્ષક કભી સાધારણ મનુષ્ય નહીં હોતા, સર્જન ઐાર વિનાશ ઉસકે હાથોમેં ખેલતે હૈ. પરંતુ આપણે ત્યાં આજે શિક્ષક સાધારણ થઇ ગયો છે. ક્યાંક સમયસર વેતન મળતું નથી, તો ક્યાંક પૂરતો પગાર અપાતો નથી. જ્યાં સામાન્ય ખેતમજુરને 350 રૂપિયાનો રોજ આપવાનું સરકાર નક્કી કરે છે, ત્યારે બીજી તરફ કેટલાય શિક્ષકો તેના કરતાં ઓછા રોજે નોકરી કરે છે. જે સમાજમાં ન્યૂનતમ રોજગારી કરતાં ઓછું વેતન શિક્ષકને મળતું હોય, એ સમાજનો ઉધ્ધાર થઇ શકે ખરો હા, ફકત વાંક સરકારનો કાઢવા જેવો નથી. આજની સ્થિતિ માટે શિક્ષક પોતે પણ જવાબદાર એટલો જ છે. તેનું દિલ બાળકોમાં સંસ્કાર અને શિક્ષણની હરિયાળી ઉગાડવામાંથી ઉઠી ગયું છે. તે ફકત ઊંચા પગારે નોકરી કરવામાં કે ટયુશન કરીને અધધ રળી લેવામાં જ મશગુલ થઇ ગયો છે, તેને કારણે જ તેણે સમાજમાંથી તેની જે ઇજ્જત હતી, તે ખોઇ નાંખી છે. આજે બિહારમાં લગભગ ચાર લાખ ટીચર્સ સમયસર વેતન ન મળતું હોવાને કારણે અપમાન દિવસ ઉજવી રહ્યા છે. ક્યારેક આઠ મહિને કે ક્યારેક પાંચ મહિને પગાર મળતો હોય, ત્યારે એ શિક્ષક બાળકોને ભણાવવામાં શું દિલ રેડી શકે ? શિક્ષકનું કામ તો આવત...

વિયેતનામને ડેલે હાથ દઇને મોદીએ ચીનને ચેકમેટ કર્યું

છબી
ચોથીથી જી-20 દેશોની મીટીંગમાં ભાગ લેવા માટે ભારતીય વડાપ્રધાન મોદી ચીનની મુલાકાતે જશે. જો કે અત્યાર સુધી એક સાથે બે- ત્રણ દેશોની મુલાકાત મોદી લેતા રહ્યા છે, તેમ ચીન પહોંચતા પહેલાં તેમણે ઇજીપ્ત અને વિયેતનામની મુલાકાત પણ આયોજિત કરી હતી. ઇજીપ્તની મુલાકાતથી કોઇ ખાસ હલચલ થઇ નથી, પરંતુ ચીન જતાં પહેલાં એક દિવસ માટે વિયેતનામની મુલાકાત લઇને મોદીએ ચીનને જવાબ આપવાની શરૂઆત કરી દીધી છે. પાકિસ્તાનમાં બલુચીસ્તાનનું ઉબાડિયું ચાંપી દઇને નહેલે પે દહેલા કરનારા મોદીએ હવે વિયેતનામની મુલાકાત લઇને ચીનને પણ સખણા રહેવા માટે શાનમાં સમજાવી દીધું છે. યાદ રહે કે ચીન અને વિયેતનામ વચ્ચે સબંધો બહુ સારા નથી. અત્યારે પણ તે બંને વચ્ચે દક્સિણી ચીની સમુદ્ર મામલે સંઘર્ષ ચાલે છે, તો આ પહેલાં બંને વચ્ચે ત્રણ વખત સંઘર્ષ થઇ ચૂક્યા છે અને તેમાં વિયેતનામે ચીનને કસીને જવાબ આપ્યો છે. યાદ રહે કે વિયેતનામ છે ટચૂકડું, પણ અમેરિકા માટે પણ તે માથાનો દુઃખાવો બન્યું હતું અને ચાર દાયકા પહેલાં અમેરિકાએ પણ વિયેતનામમાં પરાજયનો સ્વાદ ચાખવો પડેલો.એ જ વિયેતનામના ભારત સાથે સારા સબંધ છે અને મોદીજીએ તેની ચીન સાથેની દુશ્મનીનો લાભ ભારતને મળે ...